શુ જાહેર જનતાને લગતી તકલીફોનું કોઈ નિરાકરણ નથી આવતું?
જાહેર હિતની સમસ્યાના નિરાકરણ માટે આપશ્રી આ બે રીતે રજુઆત કરી શકો છો..
૧. સીધા પ્રધાનમંત્રી કાર્યાલયમાં.. (જેના માટે ની લિંક છે..
https://pmopg.gov.in/pmocitizen/Grievancepmo.aspx
અથવા
૨. તમે PG પોર્ટલ એટલે કે પબ્લિક ગ્રીવયન્સ પોર્ટલ દ્વારા ફરિયાદ કરી શકો છો.. જેની લિંક છે..
https://pgportal.gov.in/
(PG પોર્ટલ માટે તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવું પડશે... ત્યાર બાદ આપ આપની ફરિયાદ કરી શકશો..)
જો તમારી ફરિયાદ રાજ્ય સરકાર ને લગતી હોય, તો State Government સિલેક્ટ કરી, ફરિયાદ પોસ્ટ કરો.
જો તમારી ફરિયાદ કેન્દ્ર સરકારને લગતા વિભાગની હોય તો Central Govt સિલેક્ટ કરો.. જે પછી તમારે મંત્રાલય યા વિભાગ સિલેક્ટ કરવાનું રહેશે...
જે પછી જો સબ વિભાગ સિલેક્ટ કરવાનું રહેશે (જો ઓપ્શન બતાવે તો જ)
અહીં તમે આપની જાહેર હિતની સમસ્યા વિગતવાર લખી શકો છો.. આ સમસ્યાને લગતા પત્રો / ફોટોગ્રાફ્સ પણ એટેચ કરી શકો છો (પીડીએફ કોપીમાં)..
આ પોર્ટલ દ્વારા આપની આ ફરિયાદ જે તે ઓફિસમાં મોકલી આપવામાં આવશે જયાંથી એનું નિરાકરણ આવશે...
સમસ્યાનું નિરાકરણ થાય અને ફરિયાદ બંદ કરવામા આવે ત્યારે આપને મેસેજ / મેઈલ આવશે.. ક્યારેક સમસ્યાના નિરાકરણ બાબતે પત્ર દ્વારા પણ માહિતી આપતા હોય છે..
જય હિન્દ..
આભાર
No comments:
Post a Comment
Your Comments Here...