🙏સત નામ સાહેબ🙏
અરે દિલ ગાફિલ ગફલત મત કર, એક દિન જમ તેરે આવેગા.
સૌદા કરન કો યહ જગ આયા, પુંજી લાયા મૂલ ગંવાયા,
પ્રેમ ડગર કા અંશ ન પાયા, જ્યું આયા ત્યું જાવેગા… અરે દિલ
સુન મેરે સાજન સુન મેરે મીતા, યહ જીવનમેં ક્યા ક્યા બીતા,
શિર પાહન કા બોજા લીતા, આગે કૌન છુડાવેગા… અરે દિલ
પર લે પાર મેરા મીતા ખડીયા, ઉસ મિલને કા ધ્યાન ન ધરિયા,
તૂટી નાવ ઉપર જા બૈઠા, ગાફિલ ગોથા ખાવેગા… અરે દિલ
દાસ કબીર કહે સમજાઈ, અંત કાલ તેરો કૌન સહાય,
ચલા અકેલા સંગ ન સ્થાઈ, કિયા આપ ના પાવેગા…અરે દિલ.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ જીવને ચેતવણી આપે છે કે એક દિવસ તારે યમદેવને ઘરે બધું છોડીને જવું પડશે. તું માનવદેહ ધરીને અહીં આવ્યો. જે પૂંજી લઈને આવ્યો હતો તે તો બધી વ્યર્થ સાંસારિક વ્યવહારો અને ક્રીડામાં ગુમાવી દીધી. પ્રભુના પ્રેમનો અંશ પણ એના વડે ન મેળવ્યો. તેં અત્યારે જે દુન્યવી બોજો શિર પર લીધેલો છે એને હવે કોણ છોડાવશે ? તું ક્ષણભંગુર દેહરૂપી તુટેલી નાવ પર બેઠેલો છે અને નિશ્ચિત ગોથાં ખાવાનો છે. એથી જ કબીર સાહેબ સમજાવે છે કે તારો અંતઃકાળ આવશે ત્યારે તારી સાથે કોઈ આવવાનું નથી, તારે એકલા જ ચાલવાનું છે. તારું કર્યું કારવ્યું બધું અહીં જ રહીં જવાનું છે. એથી ઓ દિલ, ગાફેલ રહીને ગફલત ન કર, હજી પણ સમય છે. ચેતી જા.
🙏🌹જય ગુરુ દેવ🌹🙏
No comments:
Post a Comment
Your Comments Here...