ખાસ વાચવા સાથે જીવનમાં ઉતારવા લાયક - My Blog

Breaking

Ads by Google Adsense

August 3, 2024

ખાસ વાચવા સાથે જીવનમાં ઉતારવા લાયક


*એક 80 વર્ષના દાદાને હાર્ટ એટેક આવ્યો*
*દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું,*
*અને ખુબ સુખી - સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા,* 
*ડોક્ટરે કહ્યુ, "દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે; ત્રણ દિવસ રોકાવું પડશે...."*
*દાદા કહે, "જેવી પ્રભુની ઇરછા..."* 

*ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં, દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું આઠ લાખ રૂપિયા...*

*એ બીલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યાં ડોક્ટર દયાળુ હતા; તેમણે કહયું, "દાદા કેમ રડો છો ?* 
*તમને બીલ વધારે લાગ્યુ હોય તો મને બે લાખ ઓછા આપો; પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઇને રડો છો તેથી મને દુ:ખ થાય છે..."*

*દાદાએ કહ્યું, "ના ડોક્ટર સાહેબ; ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બીલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું ...*

*પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો" એ બોલતા દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં...*

*ડોક્ટરે કહ્યું, "દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે; તમને કોઈ દુ:ખાવો કે બીજી કોઈ શારીરીક તકલીફ થાય છે...?"*
*દાદાએ કહ્યું, "ના ડોક્ટર તમે ખુબ સરસ ઓપરેશન કર્યુ છે,"*
*ડોક્ટરે કહ્યું, "તો પછી દાદા કેમ રડો છો તમે?"*
*દાદા કહે, "ડોક્ટર તમે નહીં સમજી શકો,"*

*ડોક્ટરે કહ્યું, "પ્લીઝ ,જે હોય તે તમે મને જરૂર જણાવો,"*

*દાદાએ કહયું, "તો સાંભળો, ડોક્ટર સાહેબ, તમે મારા હૃદયનું ઓપરેશન કર્યુ, મારૂં હ્રદય ત્રણ કલાક સાચવ્યું અને ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા....*

*હું એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહયો છું કે જેમણે મારૂં હ્રદય 80 વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર ચલાવ્યું અને સાચવ્યું...*

*ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા થાય ?*

*એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર સાહેબ હું રડી રહયો છું..."*

*આ સાંભળતા જ ડોક્ટર દાદાના પગમાં પડી ગયાં...*

*"તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માગવા પહોંચી જઇએ છીએ...*

*શું નથી આપ્યું એણે ? આજ સુધીનું જે પણ જીવન જીવાયુ એ એની જ કૃપા, કરૂણા છે ને !!!!!!..."*

*બોધ :* 
*આપણને જે મફતમાં મળે છે એની કિંમત સમજવાની પણ અક્કલ જોઈએ.*

 *જે ઉપર વાળાએ આપ્યું છે તેની કદર કરતાં શીખવું જોઈએ.*
*માગ્યા વગર ઘણું બધું આપ્યું છે છતાંય, બીજું વધુ માગવા પાછા એની પાસે દોડી જઇએ છીએ...*

*ઉઠાડે, સુવાડે ,*
*શ્વાસોશ્વાસ ચલાવે,*
*ખાધેલું પચાવે,*
*સ્મૃતિ પાછી આપે,* 
*શક્તિ આપે અને શાંતિ આપે,*
*એ પરમકૃપાળુ પરમાત્માને*
*ઉઠતાં, જમતા ને સુતાં પણ* 
*કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ તો જ* 
*આપણે માણસ કહેવાઈએ.*

ખાસ વાચવા સાથે જીવનમાં ઉતારવા લાયક છે .
☺️🙏🏻☺️'

No comments:

Post a Comment

Your Comments Here...