ભજન – સમજણ વિના રે સુખ નહીં જંતને - My Blog

Breaking

Ads by Google Adsense

March 26, 2019

ભજન – સમજણ વિના રે સુખ નહીં જંતને


*સમજણ વિના રે સુખ નહીં જંતને રે;*
*વસ્તુગતિ કેમ કરી ઓળખય ?*
*આપમાં વસે છે આપનો આતમા રે,*
*તેથી કાંઈ જીવપણું નવ જાય -ટેક*

*રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,*
*અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;*
*રુદે રવિ  ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો ,*
*થનાર હોય તે સહેજે થાય - સમજણ*

*જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,*
*ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;*
*પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,*
*એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ -સમજણ*

*પારસમણિ વિના રે જે પથરા મળે રે,*
*તેણે કાંઈ કાંચન લોહ ન થાય;*
*સમજણ વિના રે જે સાધન કરે રે,*
*તેથી કાંઈ જીવપણું નવ જાય -સમજણ*

*દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,*
*એને લઈ રૂમાં જો અલપાય;*
*એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,*
*રતી એક સાચે પ્રલય જ થાય - સમજણ*

*જીવપણું મટે  રે અનહદ ચિંતવ્યે રે,*
*એ તો વાણીરહિત છે રે વિચાર;*
*જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,*
*કહે અખો ઊતર્યા પેલે પાર -સમજણ*

No comments:

Post a Comment

Your Comments Here...