સાખી -ભાણ સાહેબ - My Blog

Breaking

Ads by Google Adsense

March 11, 2019

સાખી -ભાણ સાહેબ

સાખી ભાણ સાહેબ

(૧) ભાણ કહે ભટકીશ નહી મથી જોને માઈ,
સમજીને સુઈ રહે તો, કરવુ નથી કાઈ. ભાણ

(ર) બોલે ઈ બીજો નહી, પરમેશ્વર પોતે,
અજ્ઞાની અને આંધળો, અળગો જઈ ગોતે. ભાણ

(૩) સાચુ નામ સાહેબનુ, જુઠુ નહી જરાય,
ભાણ કહે ભજી લેતો, ભારે કામ થાય. ભાણ

સાખીનુ વિવરણ

(૧) ભાણ કહે ભટકીશ નહી મથી જોને માઈ,
સમજીને સુઈ રહે તો, કરવુ નથી કાઈ.

ભાણ સાહેબ તેની પ્રથમ સાખી દવારા સમજાવે છે કે હે, માનવી જો તારે પરમાત્માના દર્શન કરવા હોય તો આમ તેમ ફાફા મારવાની જરૂર નથી. હે, જીવાત્મા તું એવુ વિચારે છે કે હરદવાર જઈ ગંગા નદીમા સ્નાન કરીને પવિત્ર થઈ જતા મને પરમાત્માના દર્શન થઈ જશે તેવુ વિચાર તો હશે તો તે તારી ખોટી કલ્પના છે કારણ કે દરેક નદીનુ જળ એક સરખુ હોય છે. સંતોએ કહયુ છે કે મન સંગા તો કથરોટમે ગંગા એટલે કે જો તમારામા નકકી પણુ હોય તો તમારી કાથરોટમા ભરેલુ જળ પણ ગંગાના જળ સમાન છે. ભાણ સાહેબ કહે છે કે જો તમારામા નકકી પણુ નહી હોય તો તમે કાશી, મથુરા કે હરદવાર જશો તો પણ તમને તેમા ભેદ જણાશે અને સંકલ્પો ઉભા થતા નકકી પણાના અભાવે શંકાઓ ઉભી થશે કે અહીંયા ભગવાન હશે કે કેમ ? ભાણ સાહેબ કહે છે કે હે, જીવાત્મા પ્રથમ તો નકકી પણુ થઈ જવુ જરૂરી છે. કારણ કે નકકી પણુ હશે તો જ તમે એક સ્થળે સ્થિર થઈ શકશો અને જયા સુધી સ્િથરતા નહી આવે ત્યા સુધી સત્ય વસ્તુ સમજાશે નહી. ભાણ સાહેબ કહે છે કે જો તારે પરમાત્માના દર્શન કરવા હોય તો તારે અવનવા સ્થળે જઈ ભટકવાની જરૂર નથી કારણ કે જે તત્વને તુ નિહાળવા માગે છે તે તત્વ જ તારા ધટ ભીતરમા રહેલ છે. ભાણ સાહેબ કહે છે કે આપણા ધરમા વસ્તુ રાખવામા આવી હોય પણ તે આપણને ધણી વાર અંધારાને લીધે દેખાતી નથી તેથી દીવાના પ્રકાશનો આધાર લેવો પડે છે તેના દવારા જ વસ્તુ મળી જાય છે. આપણા ધટ ભીતરમા ચેતન તત્વરૂપ પરમાત્મા છે પણ તેની આપણે બુધ્ધિ દવારા તેની શોધ કરીને તેને પરખી શકતા નથી કારણ કે તે અગમ અપાર છે તેથી તે ગમની વાત કોઈ સુગમ કરીને ન સમજાવે ત્યા સુધી આ વાત સમજણમા આવતી નથી. આ તત્વની પરખ થઈ શકતી નથી. ભાણ સાહેબ કહે છે કે જો તારે અગમ વાતને સુગમ રીતે સમજી લેવી હોય તો ગુરુનુ ચરણ સ્વીકારવું પડે છે કારણ કે આ સંતોએ આ વાત સમજવામા પોતાના જીવનનો તમામ સમય આ વાતને સમજવા પાછળ વાપરી નાખેલ હોવાથી આ વાત તેઓ સમજી ગયા છે અને તેઓ જ આ વાત બીજાને સમજાવી શકે તેમ છે. ભાણ સાહેબ કહે છે કે ગુરુનુ ચરણ સ્વીકારતા તે સાન સમજાવીને નિશાન બતાવી આપે છે અને આ નિશાને પહોચ્વા સ્મરણરૂપ શબ્દ કે જેને વચન કહેવામા આવે છે તે આપી તેની મર્યાદા જાળવવાનુ સમજાવે છે. હે, જીવાત્મા જે સમજવા જેવી વાત છે તે સમજવા માટે બીજા કોઈ સ્થળે જવાની જરૂર નથી પણ તે વાત આપણા ધટ ભીતરમા પડેલ હોવાથી તે સમજવા માટે જ ગુરુની સલાહની જરૂર પડે છે. ભાણ સાહેબ કહે છે કે ગુરુ દવારા મળેલ બોધ મુજબ તુ તારા ધટ ભીતરમા તેની તપાસ શરૂ કરીશ તો આ પરમ તત્વની પરખ થઈ જશે તેથી બીજે ઠેકાણે જઈ ખોટી મથામણ કરવા કરતા તારા ધટ ભીતરમા મથામણ કરી લેવાથી તે મળી જાય તેવી છે. ભાણ સાહેબ કહે છે કે તેથી જ આપણા સંતો ધટ ભીતરમા મથામણ કરવાની સલાહ આપે છે. ભાણ સાહેબ કહે છે કે જો આટલુ સમજીને તારું કાર્ય કાયમને માટે શરૂ કરીને આમ તેમ આટા ફેરા મારવાનું બંધ કરીશ તો પણ તને પરમ તત્વની પરખ થઈ જશે. ભાણ સાહેબ કહે છે કે સમજીને સુઈ જઈશ એટલે કે નકકી પણુ કરી વિશ્વાસ રાખીને શાંતીથી આ કર્મ શરૂ રાખીશ તો બીજુ કાઈ કરવાની જરૂર નથી. ભાણ સાહેબ કહે છે કે ગુરુના વચનમા વિશ્વાસ રાખીને આગળ વધીશ તો અવશ્ય પરમ તત્વની પરખ થઈ જશે. હે, જીવાત્મા આ વાત સમજવા કે પરમ તત્વની પરખ કરવા માટે તારે કોઈ ટીલ્લા ટપકા કે માળાઓનો ઠઠારો કરવો કે ભગવા કપડા પહેરવાની જરૂર નથી પણ તારામા નકકી પણુ અને ગુરુની વાતમા વિશ્વાસ બે બાબત જ જરૂરી છે. આ વાત સમજવા માટેની આપણી તાલાવેલી અને ધીરજ અગત્યનો ભાગ ભજવે છે કારણ કે આ વાત અગમ હોવાથી સરળ રીતે ટુંક સમયમા સમજી શકાય તેવી ન હોવાથી ધીરજ રાખવી જરૂરી છે અને મને પરમ તત્વની પરખ જરૂર થશે તે નકકી પણુ થવુ જરૂરી છે.

(ર) બોલે ઈ બીજો નહી, પરમેશ્વર પોતે,
અજ્ઞાની અને આંધળો, અળગો જઈ ગોતે.

ભાણ સાહેબ તેની સાખીની બીજી કડી દવારા સમજાવે છે કે હે, જીવાત્મા જે બોલે છે તે જ શબ્દરૂપ પરમાત્મા છે તે બીજો નથી. તે પોતે બોલે છે અને બીજાને પણ બોલાવે છે તે બે સ્થળે એકનો એક જ છે પણ તેને સમજવો અધરો હોવાથી ગુરુના માર્ગ દર્શનની જરૂર પડે છે. ભાણ સાહેબ કહે છે કે જો તમે ગુજરાતી ભણેલા હોય તો તમને અંગ્રેજી વાચતા આવડતુ નથી અને અંગ્રેજી ભણેલો માણસ ગુજરાતી વાચી શકતો નથી તેમ જે તે ભાષાના જાણકાર હોય તેની પાસે જવાથી તેનો ઉકેલ આવી શકે છે. આ પરમાત્માની પરખની ભાષા તેમજ તેની રીતે સંતો જ જાણતા હોવાથી તેનુ ચરણ સ્વીકારતા ઉકેલ મળી જાય છે. ભાણ સાહેબ કહે છે કે જે બોલે છે તે ચેતન તત્વરૂપ પરમાત્મા શબ્દરૂપ પોતે જ છે. ભાણ સાહેબ કહે છે કે જે અજ્ઞાની છે એટલે કે જે વાતને જાણવી છે તે વાતની જાણકારી નથી તેવા લોકો આવી વાત સાંભળતા હોવા છતા તેના અજ્ઞાનને લીધે આ વાત સમજી શકતા નથી તેથી જેમ આંધળાને તેની બાજુમા પડેલી વસ્તુ તેની આંખો ન હોવાને લીધે દેખાતી નથી. બીજી દેખતી વ્યકિતએ આ વસ્તુ લઈને તેના હાથમા આપવી પડે છે તેમ અજ્ઞાનને લીધે આપણામા પડેલી કિંમતી વસ્તુ આપણે શોધી શકતા નથી તેથી તેની શોધ કરવી હોય તો કોઈ આ વાતને જાણનારા માણસની શોધ કરીને તેની પાસે જવું પડે છે અને તે તેના અનુભવના આધારે આ વસ્તુની શોધ કેમ કરવી તે સમજાવી આપતા અને તેની સલાહ મુજબ ચાલતા કામ અવશ્ય સફળ થાય છે. સંતો આ વાત સમજવા માટે ગુરુનુ ચરણ સ્વીકારવાની ભલામણ કરે છે.

(૩) સાચુ નામ સાહેબનુ, જુઠુ નહી જરાય,
ભાણ કહે ભજી લેતો, ભારે કામ થાય.

ભાણ સાહેબ તેની ત્રીજી સાખી દવારા સમજાવે છે કે હે, જીવાત્મા આ જગતમા સાચુ જો કંઈ હોય તો પરમાત્માનુ નામ જ છે કારણ કે તે આદી અનાદી કાળથી એકનુ એક જ છે. સંતોએ તેની વાણી દવારા કહયુ છે કે ચાર જુગના ચાર પાટ તેની એક જ છે બારી તેની એક જ છે કિનારી. આ વાકય દવારા સંતો એવુ સમજાવવા માગે છે કે પ્રહલાદના સમયથી પ્રથમ જુગની શરૂયાત થઈ છે તે પહેલા યુગનો નાતો ન હતો તેથી જ કહેવા છે કે પ્રથમ યુગમા પ્રહલાદ સિધ્યા હતા. પ્રહલાદ રાક્ષાસ કુળના હોવા છતા તેને ઉડણ ભકત અને શ્રીબાઈ જેવા પ્રજાપતિ જ્ઞાતિના ભકત મળી જતા તેની પાસેથી દીક્ષાા મેળવીને પ્રથમ સવરા મંડપનો ઉત્સવ કરીને આ સમયે પાંચ કરોડ લોકો કે જે પ્રહલાદની વાતમા વિશ્વાસ રાખીને જતી સતી તરીેક નિજાર ધર્મને વરેલા હતા તે નિર્વાણ પદને પામી ગયા હતા અને પ્રહલાદ તેમજ તેના પત્િન રત્નાવલી આ વખતે સતની પાવડીએ પગ ધરીને નિર્વાણ પદને પામી ચાલ્યા ગયા હતા. આ સાચુ નામ સાહેબનુ છે અને તેના અનેક પ્રમાણો સંતો આપીને આપણને ખાત્રી કરાવી આપી છે. આ જગતના લોકો હાલ સમય સુધી પણ આ વાતમા વિશ્વાસ રાખીને પરમ તત્વની ખોજ કરી રહયા છે. ભાણ સાહેબ કહે છે કે સત કાયમ હોય છે અને અસત કાયમ હોતુ નથી. પરમાત્માનુ નામ સત રૂપ છે તેથી આદીથી અંત સુધી ટકી રહયુ છે અને ટકી પણ રહેવાનુ છે તેથી તે જરાય ખોટુ નથી. ભાણ સાહેબ કહે છે કે આ પરમાત્માના નામને ભકતો ભજીને ભવસાગર તરી ગયા છે. હે, જીવાત્મા તું પણ આ નામનુ સ્મરણ કરી લે તો તારું પણ કામ થઈ જાય તેવું  છે

🙏 જય ગુરૂદેવ 🙏

No comments:

Post a Comment

Your Comments Here...