પુછો પુરા પંડિતો ને, પુછો શેખ સંન્યાસી ને
આ નિજ ના ગુરુ કોણ છે.........ટેક
જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ઘાટ કોણ
ગગન બારે મેધ ગરજે, ઇ રે દેવતા કોણ છે.......પુછો પુરા
ધાર માયલી ઢાલ કોણ , ઢાલ માયલી ધીરજ કોણ
ધીરજ મા તમે માળા ફેરવો, ઈ રે અજંપા કોણ છે........પુછો પુરા
કાંતનવાલી કા સુતર કોણ, વાંજણી કા પુતર કોણ
કાંતનવાલી તમે જુઠા ન બોલો, ઈ રે નુગરા કોણ છે...........પુછો પુરા
ભામીની કેરા ભેદ કોણ, શીવજી કેરા વેદ કોણ
અંગ મા અખંડ જયોતિ બીરાજે ઈ રે દેવતા કોણ છે........પુછો પુરા
ભણે રામો લખે નામો, સંતો તમે સાંભળો
બોલ્યા પીર રામદેવ, ખોજણહારા કોઈ સંત છે........પુછો પુરા
Ads by Google Adsense
June 4, 2019
New
ભજન - પુછો પુરા પંડિતો ને,

About Blog Administrator
આ મારા બ્લોગમા હુ એવા જ કેટલાક સંતોના જીવનચરિત્ર વિષે લખવા જઈ રહ્યો છુ.
આ મારો પ્રથમ બ્લોગ છે. તે કોઈ ભુલ ચુક હોય તો ક્ષમા કરશો.
ભજનવાણી
લેબલ્સ:
ભજનવાણી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Your Comments Here...