UPSCની પરીક્ષા પાસ કરીને IAS કે IPS બનવા માગો છો તો તૈયાર થઈ જાઓ, જાણો ક્યારે બહાર પડશે પરીક્ષાની જાહેરાત? - My Blog

Breaking

Ads by Google Adsense

February 6, 2020

UPSCની પરીક્ષા પાસ કરીને IAS કે IPS બનવા માગો છો તો તૈયાર થઈ જાઓ, જાણો ક્યારે બહાર પડશે પરીક્ષાની જાહેરાત?

UPSC દર વર્ષે પરીક્ષાનું આયોજન કરે છે. આ વર્ષે પણ 12 ફેબ્રુઆરીના રોજ યુપીએસસી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવશે. વર્ષ 2020 માટે યુપીએસસીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા દ્વારા દેશમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસની પસંદગી કરવામાં આવે છે. આ સિવાય ફોરેસ્ટ સેવાની પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે.

આમ 12 ફેબ્રુઆરીથી લઈને 3 માર્ચ સુધી આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકાશે. પ્રીલીમ્સ પરીક્ષાનું આયોજન 31 મેના રોજ કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો પ્રીલીમ્સ પરીક્ષા પાસ કરશે તેઓને બાદમાં મેઈન્સ પરીક્ષા આપવાની રહેશે. મેઈન્સ પરીક્ષા બાદ ઈન્ટરવ્યુના આધારે અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

યુપીએસસીની પરીક્ષા પાસ કરવી તે વિદ્યાર્થીઓનું લક્ષ્ય હોય છે. દેશમાંથી લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે. ઉલ્લેખનીય છે કે મેઈન્સ પરીક્ષા 1750 માર્કસની જ્યારે ઈન્ટરવ્યુ 275 માર્કસનું હોય છે. પ્રીલીમ્સ પરીક્ષા લેખિત હોતી નથી. પ્રીલીમ્સમાં પેપર વૈકલ્પિક હોય છે.

કઈ વેબસાઈટ પર મેળવી શકાશે માહિતી?


ભારત સરકારની upsc.gov.in વેબસાઈટ પર જઈને આ પરીક્ષા અંગે તમામ માહિતી ઉમેદવારો મેળવી શકશે. પરીક્ષાના ફોર્મ પણ આ વેબસાઈટ પર જ ભરી શકાશે. આમ ઉમેદવારોએ વધુ વિગતો માટે આ વેબસાઈટ જોતા રહેવું.

No comments:

Post a Comment

Your Comments Here...