ભાણ સાહેબની જીવન ઝરમર
ભારતભૂમિના સૈારાષ્ટ અને કચ્છ વાગડ ભૂમિમા પ્રથથી જ સાધુ સંતો ભકતો અને ગુરુ શિષ્યની પરંપરા રહી છે. આ ભૂમિના અનેક સાધુ સંતો પરમાત્માને રાહે ચાલીને ભવસાગર તરી ગયા છે અને બીજાને પણ આ ભવસાગર માથી તારવાનો પ્રયત્ન કર્યો છે. આ સાધુ સંતો અને ગુરુ શિષ્ય પરંપરાને લીધે અનેક ભકતો આવા સંતોનુ ચરણ સ્વીકારીને પોતે ભવસાગર પાર કરીને બીજાને પણ પોતાના જેવા કરવાનો પ્રયત્ન કાયમને માટે કરતા રહયા છે. આ ભૂમિના સંતોએ ફકત પોતાની જ સિધ્ધિ મેળવવા કે પોતે પાર પહોચી જવાનો પ્રયત્ન નથી કર્યો પણ સાથે સમાજ સુધારણાના અનેક કામો હાથ ધરી લોકોને સાચી વાત સમજાવીને મનભેદ, મતભેદ, જાતીભેદ તેમજ અંધશ્રધ્ધા જેવા દુષ્ણો સમાજ માથી દુર કરવા માટે અથાગ પ્રયત્ન કરી લોકોને સાચા ધર્મના માગર્ે વાળવાનો પ્રયત્ન કરીને સમાજ સુધારણાના અનેક કામો કરીને ગેર માર્ગે જતા સમાજને સુમાર્ગે વાળવાનો તેમજ ધર્મ કોને કહેવાય અને ધર્મ તમારા જીવનમા કેવુ પરિવર્તન લાવી શકે છે તે વાત સમજાવીને સાબિત કરી લોકોમા વિશ્વાસ પેદા કયર્ો છે. આ સંતોએ સામાજીક સુધારામા વ્યસનો જેવા દુષ્ણોનો નાશ કરીને લોકોની આર્થિક તેમજ શારીક પરિસ્થતીમા પરિવર્તન લાવીને સમાજને સશકત કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે. આવા સંતોએ સૈારાષ્ટ ત્થા કચ્છ વાગડના અનેક સ્થળોએ ફરીને લોકોને ધર્મની સાચી વાત સમજાવીને લોકોને ઉપદેશ આપ્યો છે અને આ સંતોની વાત જેને સમજાય ગઈ તેવા લોકો આ સંતો સાથે જોડાઈને પોતે ભવસાગર તરીને બીજાને પણ જ્ઞાન આપીને અજ્ઞાનતા દુર કરવાનો પ્રયત્ન કરવામા આવેલ છે. ભાણ સાહેબે રવિ,ખીમ જેવા ભકતોને પ્રમોદીને પોતાના શિષ્યો બનાવી જ્ઞાનની સરવાણી કાયમને માટે ચાલુ રાખી છે. રવી સાહેબે મોરાર જેવા શિષ્યને બોધ આપીને ભગસાગર માથી પાર ઉતારી દીધા છે. ખીમ સાહેબ લુહાણા જ્ઞાતીના હતા છતા તેઓએ જ્ઞાતી ભેદને એક બાજુ મુકીને રાપર તાલુકાના રામવાવ નામના ગામના એક હરિજન બ્રહામણ જ્ઞાતિના ત્રિકમ નામના ભકતને પોતાનો શિષ્ય બનાવીને અસ્પુશ્યતા નિવારણનુ એક મોટુ મહાન કામ કરીને લોકોને સમજાવી આપેલ છે કે તમામ પરમાત્માના બાળકો છે તેથી માનવ માનવ વચ્ચેનો ભેદ રાખવો તે એક મોટી માનવીની મુખર્ાય છે. ખીમ સાહેબે આ વખતે એકઠા થયેલા તેના તમામ સેવકોની રૂબરૂમા ખીમ સાહેબને આશીર્વાદ આપી જાહેર કરેલ કે આ દરિયા સ્થાનની જેટલી માનતાઓ આવશે તે તમામ ત્રિકમના ચરણે ધરવામા આવશે અને આ સ્થળે પ્રથમ સેવા પુજા ત્રિકમ ની થશે અને પ્રથમ દર્શન ત્રિકમના કરવામા આવશે પછી જ મારા દર્શન કરવા લોકો આવશે આમ કહીને ત્રિકમને ત્રિકમ સાહેબનુ બીરૂદ આપી એવુ જાહેર કરવામા આવ્યુ કે આજથી આ ત્રિકમ, ત્રિકમ સાહેબના નામથી લોકોમા પુજાશે. હાલ રાપર ગામે આવેલ દરિયા સ્થાનની જગ્યામા પ્રથમ ત્રિકમ સાહેબની પુજા થાય છે અને ખીમ સાહેબના નામની માનતા ત્રિકમ સાહેબના ચરણે આવી લોકો પુરી કરે છે અને આ સ્થળે ખીમ સાહેબની સમાધી પાસે આવેલ ત્રિકમ સાહેબની સમાધી સામે બે દિવા પ્રગટાવવામા આવે છે અને બાકીની તમામ સમાધી આગળ એક જ દીપ પ્રગટાવવામા આવે છે.
આ જગતના સંતોની મહાનતાનો કોઈ પાર નથી અને તેના વખાણ કરવા માટે પણ આપણી પાસે શબ્દો ખૂટે છે તો આવા સંત પૈકીના સંતશ્રી ભાણ સાહેબના જીવન તેમજ તેના ધાર્મિક તેમજ સામાજીક કાર્યો વિશે જાણવુ અને જીવનમા ઉતારવુ જરૂરી છે તો આપણે તેના જીવન વિશે જાણીએ.
સંત શ્રીભાણ સાહેબ લુહાણા જ્ઞાતીના હતા અને તેનો જન્મ સવંત ૧૭પ૪ ના માગશર સુદ ૧૧ ના રોજ બોરસદ તાલુકાના કીંખલોડ નામના ગામમા થયો હતો. ભાણ સાહેબના પિતાનુ નામ કલ્યાણજી ઠકકર હતુ અને તેની માતાનુ નામ અંબામા હતુ. ભાણ સાહેબના પિતાનુ મૂળ વતન બનારસ જિલ્લાનુ વારાહી ગામ હતુ પણ ધંધાર્થે તેઓ ચરોતર વિસ્તારના કીંખલોડ ગામે રહેતા હતા. ભાણ સાહેબના લગ્ન ઈસ ૧૭ર૪ મા વારાહી ગામના મેધજી ઠકકર નામના લુહાણા કુટુંબમા થયા હતા અને તેની પત્નીનુ નામ ભાણીબાઈ હતુ. ભાણસાહેબ કબીર પંથના સંત હતા. કાશી બનારસના રામનંદના શિષ્ય કબીર સાહેબ કહેવાય છે પણ ધણા લેખકો દવારા તેમના લેખો દવારા એવુ જાહેર કરવામા આવે છે કે આ સમયે મધ્ય કાલીન સમયમા અનેક રાજા રઝવાડાઓમા પરિવર્તન આવ્યા કરતુ હતુ તેથી જે જ્ઞાતીના રાજા આવતા તે જ્ઞાતીને મહત્વ આપવામા આવતુ હતુ.આ સમયે હિન્દુ રાજાઓનુ રાજય ચાલતુ હતુ તેથી બ્રહામણ, ક્ષાત્રિય અને વણિક જ્ઞાતીના લોકોને ખાસ મહત્વ આપવામા આવતુ અને આ સિવાયની બાકીની જ્ઞાતીઓને શુદ્ર જ્ઞાતીમા સમાવેશ થતો હતો. આ સમયે ભકિતની બે રીતો અમલમા હતી જેવી કે સાકાર ભકિત અને નિરાકાર ભકિત. સાકાર ભકિત એટલે એવા પ્રકારની ભકિત કે મૂર્તિ પુજા કરવી અને મંદિરમા જઈ પુજા આરાધના કરીને ભોગ ધરવો તેમજ યજ્ઞનો કરવા અને બ્રહામણો પાસે કર્મકાંડની વિધી કરાવી ભગવાનને ખુશ કરવા તેવી પ્રથા આ ભકિતમા હતી. આ સાકાર ભકિત કરવાનો શુ્રદ્ર જ્ઞાતીના લોકોને કોઈ અધિકાર ન હતો. આ સમયે શુદ્રજ્ઞાતીના લોકો મૂર્તિ પુજા કરી શકતા ન હતા તેમજ મંદિરમા દાખલ થવાનો તેમજ શાસ્ત્રો કે કથા સાંભળવાનો તેમજ શિક્ષાણ લેવાનો કોઈ અધિકાર ન હતો. આ સમયે વર્ણવ્યવસ્થા અને જાતી ભેદ ફુલો ફાલેલો હોવાથી શુદ્ર જ્ઞાતીના લોકો આવા ધર્મના કાર્યો કરી શકતા ન હતા. રામાનંદ આ વખતે કાશી બનારસમા બ્રહામણોના આગેવાન હોવાથી શુદ્ર જ્ઞાતીના કોઈ માણસને શિષ્ય બનાવી શકતા ન હતા. આ બાબત અનેક લેખકો દવારા તેમના લેખમા જાહેર કરેલ છે તેથી સંત કબીર પણ શુદ્ર જ્ઞાતીમા આવતા હોવાથી તે રામાનંદના શિષ્ય ન હતા પણ રામાનંદની સાથે તેનુ નામ જોડી દેવામા આવેલ છે તેવુ જાહેર કરે છે, કારણ કે આ સમયે સંત કબીર અને સંત રોહીદાસને પણ ધણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી તેથી આ ભકિતનો વિરોધ કરતા હતા. સંત કબીર અને રોહીદાસે નિરાકાર ભકિતનો રાહ પકડી કર્મકાંડમા નાણા ન વાપરતા લોકોને જરૂરીયાત મુજબ નાણાકીય મદદ કરવાથી આત્મા રાજી રહે છે અને આત્મા તે જ પરમાત્મા છે તેમજ તમામ લોકો પરમાત્માના જ બાળકો છે તેથી જ્ઞાતી ભેદ નહી રાખવાની સલાહ આપતા હતા અને ધર્મની સાચી વાત સમજાવતા હતા. આ સમયના રોહીદાસ જે ચમાર જ્ઞાતીના હતા તે પણ આ કાર્યમા જોડાયને લોકોને ધર્મના માધ્ય દવારા સાચી વાત સમજાવતા હતા. ઠીક છે, આપણે તો સંતોના ધરની વાત જાણવી છે અને તેના જીવન માથી આપણે કઈ જાણીને આપણા જીવનના સંસ્કારો સુધારવાના હોવાથી આવી વાતોને એક બાજુ રાખી આગળ વધવાનુ છે.
રામનંદના શિષ્ય કબીર સાહેબ,
કબીરસાહેબના શિષ્ય પદ્મનાભ,
પદ્મનાભના શિષ્ય નિશકુલાનંદ સાહેબ,
નિશકુલાનંદ સાહેબના શિષ્ય રધુનાથ સાહેબ,
રધુનાથ સાહેબના શિષ્ય
યાદવદાસ સાહેબ, યાદવદાસ સાહેબના શિષ્ય
સષ્ટમ સાહેબ અને સષ્ટમ સાહેબના શિષ્ય
ભાણ સાહેબ હતા. આ સમયે આ ગુરુશિષ્યની પરંપરા સનાતન ધર્મની પરંપરા મુજબ હતી અને રામ કબીર પંથ તરીકે પણ ઓળખાતો હતો. ભાણ સાહેબ સંત પરંપરામા આવ્યા પછી તેના તમામ શિષ્યોને ભાણ ફોજના નામથી ઓળખવામા આવે છે. ભાણ સાહેબે અનેક લોકોને ધર્મનો રાહ બતાવીને ધર્મનુ કાર્ય આગળ ચલાવી લોકોને ધર્મના માર્ગે ચલાવી અંધશ્રધ્ધા અને જ્ઞાતિભેદ નિવારણની કામ ગીરી હાથ ધરી લોકોને જ્ઞાતિ ભેદ નહી રાખવો તેમજ તમામ પરમાત્માના બાળકો જ છે તેવુ સમજાવી લોકોના જીવન સુધારણાના કામોમા સતત તેમનો સમય પસાર કરતા હતા. ભાણ સાહેબે પણ અનેક પરચાઓ પુરીને ચમત્કારો કરીને લોકોમા ધર્મ તરફ શ્રધ્ધા અને વિશ્વાસ જાગે તે માટે અનેક પ્રયત્નો કર્યા છે. ભાણ સાહેબને ધેર એક દિવ્ય શકિત રૂપ એક પુત્રનો જન્મ થયો હતો તેનુ નામ ખીમ રાખવામા આવ્યુ. ખીમ સાહેબ પણ આ ધાર્મિક વૃતિ વાળા કુટુંબમા ઉછરીને મોટા થયેલ હોવાથી તે ધર્મના કાર્યમા લાગી ગયા અને કચ્છ ભુજ જિલ્લાના રાપર ગામે ગુરુ ગાદી સ્થાપી હતી અને તેઓ આ ગાદીના મહંત તરીકે કામ કરતા હતા. ભાણ સાહેબના ગુરુ છટા સ્વામી (સષ્ટમ સાહેબ) હતુ. વીરમગામ તાલુકાના કમીજડા ગામે તેણે સમાધી સંવત ૧૮૧૧ ને ચૈત્ર સુદ બીજને ગુરુવારના રોજ લીધી હતી. ભાણ સાહેબ રવિસાહેબના શેરખી ગામે જતા હતા તે વખતે કમીજડામા રહેતા તેના શિષ્ય મેપા ભગતને ધેર જઈ મેપા ભગતના સમાચાર પુછતા મેપા ભગત ધેર ન હતા તેથી સમાચાર પુછીને ધોડી ઉપર સ્વાર થઈને કુતરી સાથે શેરખી જવા રવાના થયા હતા. મેપા ભગત તેના ધેર આવતા તેની પત્નીએ ભાણ સાહેબના સમાચાર આપતા તે ઉતાવળે પગે ભાણ સાહેબને મળવા નીકળી પડયા અને ભાણ સાહેબને કમીજડાના તળાવના કાંઠે જોઈ જતા તેને મેપા ભગતે કહયુ કે તમે હવે ત્યાંથી એક ડગલુ પણ આગળ વધો તો તમને રામ દુહાઈ છે તેવુ કહેતા ભાણ સાહેબ આ સ્થળે અટકી ગયા અને ભાણ સાહેબે કહયુ કે હવે હું અહીંયાથી આગળ જઈ શકુ તેમ નથી તેથી કમીજડાના તળાવને કાંઠે સમાધી લઈ લીધી હતી. મેપા ભગતે કરેલ ઉતાળવળનો મેપા ભગતને પસ્તાવો થયો. એક વર્ષ બાદ મેપા ભગતે પણ આ સ્થળે જીવતા સમધી લઈ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો.
🙏 જય ગુરૂદેવ 🙏
No comments:
Post a Comment
Your Comments Here...