◆ 0 ની શોધ થયાં પહેલાં રાવણના 10 માથાંની ગણતરી કંઈ રીતે કરવામાં આવી??
◆ 0 શોધ છઠ્ઠી સદીમાં આર્યભટે કરી હતી. પંરતુ 5000 વર્ષ પહેલાં રાવણના 10 માથાં ની ગણતરી કેમ થઈ?
◆ આર્યભટે શૂન્ય ની શોધ કરી એ તદ્દન સાચું છે. પણ તેઓએ શૂન્ય ની શોધ અંક (0) માં કરી હતી, શબ્દમાં શૂન્ય તો પુરાણોમાં હજારો વર્ષો થી અસ્તિત્વમાં હતું.
◆ શિવપુરાણ અને સ્કંદપુરાણ માં આકાશને શૂન્ય કહેવાયું છે, અર્થાત્ આકાશ અનંત છે.
◆ મહાભારતમાં પણ 100 કૌરવો હતાં જેને સંસ્કૃતમાં 'શત' કહેવાય છે.
◆ રોમન અંકોમાં પણ 0 નથી હોતું, 10 ને X તરીકે લખાય છે અને આપણે 0 વગર પણ રોમન અંક વાંચી શકીએ છીએ. સંસ્કૃતમાં પણ કંઈક એવું જ છે. 1 ને પ્રથમ કહેવાય અને 10 ને દશમ.
◆ રાવણ ને દશાનન તરીકે ઓળખાય છે જેનો અર્થ થાય છે દશ માથાં વાળો માનવી. તો સંસ્કૃતમાં આપણે 0 વગર પણ ગણતરી કરી શકીએ છીએ.
◆ શ્રીમંદ ભગવદ્ ગીતા ઋગ વૈદિક કાળમાં લખાયેલ છે જે આર્યભટ થી બહુ પહેલાં કહેવાય છે ગીતામાં પણ દશમ અધ્યાય છે જેનો અર્થ છે 10 મું ચેપ્ટર.
🙏
No comments:
Post a Comment
Your Comments Here...