☀️ મહર્ષિ વાલ્મીકિ જયંતી☀️
🌻 મહર્ષિ વાલ્મીકિનો જન્મ આસો સુદ પૂનમ (अश्विन शुक्ल पूर्णिमा - शरद पूर्णिमा) ના દિવસે થયો હતો એવો સનાતન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. 🌻
🌻 પરમેશ્વરના સાક્ષાત્કાર પૂર્વે તેઓ એક ક્રૂર લૂંટારા હતા. તેમનું નામ વાલીયો હોવાનું મનાય છે. 🌻
🌻 જ્યારે એક સાધારણ મનુષ્યને પરમેશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે તે કેટલું મહાન કર્તુત્વ કરી જાય છે તેનું સૌથી મોટું ઉદાહરણ મહર્ષિ વાલ્મીકિ છે. 🌻
🌻 જો પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવે તો ભગવાન પણ તમારી વ્હારે આવે છે એ મહર્ષિ વાલ્મીકિએ સિદ્ધ કરી બતાવ્યું. 🌻
🌻 જન્મ કરતા મનુષ્યનું કર્તુત્વ મહાન છે. 🌻
🌻 એક લૂંટારો પણ રામાયણ જેવો અદ્ભુત ગ્રંથ રચી શકે છે. 🌻
🌻 પ્રશિષ્ટ સંસ્કૃતનો આદિ શ્લોક (मा निषाद...)લખી શકે છે. 🌻
🌻 ૨૪, ૦૦૦ હજાર શ્લોકોમાં અને એમાંય અનુષ્ટુભ છંદમાં રામના જીવનનું વર્ણન કરવું એ કંઈ સામાન્ય વાત નથી. 🌻
🌻 મહર્ષિ વાલ્મીકિના કર્તુત્વએ જાતિવાદ, ઊંચ-નીચના ભેદભાવનો છેદ ઉડાવ્યો છે. 🌻
🌻 મહર્ષિ વાલ્મીકિ ન હોત તો કદાચ રામાયણ પણ ન હોત... કે પછી માતા સીતા અને લવકુશ પણ ન હોત... 🌻
🌻 ભગવાન શ્રી રામ જેવું શ્રેષ્ઠ જીવન ચરિત્ર આજે આપણા ઘરે-ઘર સુધી કોઈએ પહોંચાડ્યું હોય તો એ મહર્ષિ વાલ્મીકિ હતા. 🌻
🌻 આવા ઉત્તમ જીવનને કોટિ કોટિ વંદન... 🌻
🌻 સૌનો વાલ્મીકિ જયંતીની શુભકામનાઓ... 🌻
🌻 જય શ્રી રામ... 🌻
🌻 જય વાલ્મીકિ... 🌻
No comments:
Post a Comment
Your Comments Here...